



ટંકારામાં ધોધમાર વરસાદથી મકાનોને અસર થઈ છે. ગરીબ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા લાખાભાઈ વાઘેલાનું કાચું મકાન તથા સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ સમયે તેમના પત્નીને પ્રસવની પીડા ઉપડતા તેણીને તાત્કાલિક ટંકારા સરકારી દવાખાને દાખલ કરાયા હતા. નોર્મલ ડિલિવરી બાદ માતાએ બાળકીને જન્મ આપ્યો, પરંતુ રહેવા ઉપર આભ અને નીચે ધરતી રહી હતી. આ બાબતથી વાકેફ બીપીનભાઈ પ્રજાપતિ દ્વારા તેમને તમામ સારવાર તેમજ દવા અને જમવા માટે ફૂડ પેકેટ આપીને આર્યસમાજમાં સગવડ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

