ટંકારામાં આજ રોજ લોક અદાલત યોજાઈ હતી.જેમાં બાર એસોસીએશનના સેક્રેટરી અમિતભાઈ જાની,રજીસ્ટર અશ્વિનભાઈ જાની,અને આસી.વી.એમ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.પ્રિન્સીપાલ જજ સીવીલ કોર્ટ ટંકારા એન.કે.યાદવના અધ્યક્ષ સ્થાને લોક અદાલત યોજાઈ હતી.આ લોક અદાલતમાં પ્રોહોબીશનના જુના કાયદા મુજબના ૧૧ કેસો,ચેક રીટર્નના ૪ કેસો,ભરણપોષણના ૨ તથા દીવાનીના ૩ કેસોનો નીવડો આવ્યો હતો.તેમજ પી.જી.વી.સી.એલ.ના ૪૧ પ્રી-લીટીગેશનના ૪૧ કેસોમાંથી ૧૧ કેસોમાં સમાધાન થયેલ અને રૂ.૪૧૦૦૦ ભરપાય થયેલ છે.