

મોરબીના ડેમ ઓવરફલો થતા પાણી છોડવાને પગલે માળિયા પંથકમાં જળ હોનારત જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સિરામિક એશો. દ્વારા અસરગ્રસ્તો માટે ૧૦,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે જરૂરિયાતમંદોને વિતરણ કરીને તેમની મદદ કરવામાં આવશે. એશો. પ્રમુખ કે.જી.કુંડારિયા,પ્રફુલ દેત્રોજા અને નીલેશભાઈ જેતપરિયાની રાહબરી હેઠળ ૧૦૦ સ્વયંસેવકો અસરગ્રસ્તોની મદદે સતત દોડી રહ્યું છે.