

આજ રોજ શકત શનાળા પ્લોટ શાળામાં “ગ્રુપ ઓફ વૃંદાવન” દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટુક ભોજન કરાવી તમામ બાળકોને એક નોટબુક અને એક પેન પ્રોત્સાહક ભેટ સ્વરૂપે આપેલ. આ પ્રસંગે ગ્રુપ ઓફ વૃંદાવનના કન્વીનરશ્રી નિલેશભાઈ પરમાર તથા ગ્રૂપના સભ્યોએ જાતે રસોઈ બનાવી બાળકોને જમાડેલ તથા પોતાના વરદ હસ્તે પ્રોત્સાહક ભેટ આપેલ. આ પ્રસંગે શાળા પરિવાર વતી શાળાના શિક્ષકશ્રી હર્ષદભાઈ મારવણીયા એ “ગ્રુપ ઓફ વૃંદાવન” ની પ્રેરણાદાયી કામગીરી ને બિરદાવેલ તથા શાળાના આચાર્યશ્રી મહેશભાઈ રામવાતે આભાર પ્રગટ કરેલ.