



મોરબી રાષ્ટ્રીય પ્રખર સગઠન ના જતીન ફૂલતરિયા ,નીતેશ બાવરવા,સંજય રામવત અને નયન સીનોજીયાએ જીલ્લા કલેકટર આઈ.કે.પટેલને આવેદન આપીને રજૂઆત કરી કે ભારત સરકાર સામે ૪૦ હજાર રોહિગ્યાની રોજી-રોટી કરતા પણ મોટો સવાલ રાષ્ટ્રની સુરક્ષા છે. રોટી, કપડા અને મકાનની જરૃરત સામે ઝઝુમી રહેલા રોહિગ્યા મુસ્લિમો, આતંકવાદી સંગઠનોના પ્રભાવમાં છે ત્યારે આ લોકોને ભારતમાં શરણ નહિ આપવા રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને માંગણી ઉઠાવી છે.જેમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે મ્યાનમાર બૌદ્ધ દેશ છે ત્યાંના લોકો શાંતિ પ્રિય છે અને કીડી પણ મારતા નથી પરંતુ રોહિગ્યા મુસ્લિમોનો એટલી હદે ત્રાસ વધ્યો કે શાંતિપ્રિય લોકો તેમને હાંકી કાઢી રહ્યા છે મ્યાનમારમાં રોહિગ્યા લોકો નાના નાના બાળકો પર બળાત્કાર ગુજારી બૌધ્ધ મથોનો નાસ કરીને મસ્જિદ બાંધવા બળજબરીથી બૌધ્ધ લોકો પાસે નાણાં પડવાતા હતા.ઉપરાંત આતંકવાદી સંગઠનો રોહિગ્યા મુસ્લિમોનો ભારત વિરોધી આતંકવાદી ઘટનાઓમાં દુરુપયોગ કરે તેવી શક્યતા છે. હાલ ભારતના વિવિધ રાજ્યોમાં ૪૦ હજારથી વધારે રોહિગ્યા મુસ્લિમો વસી ગયા છે. જે ગેરકાયદેસર વસવાટ કરે છે. તેઓ જમ્મુ, કાશ્મીર, હૈદરાબાદ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી એન.સી.આર. અને રાજસ્થાનમાં વસે છે.તો તેમેને પનાહ ન આપવી જોઈએ તેવી માગ કરવમાં આવી છે

