


જાણવા મળતી વિગતો મુજબ મૂળ પંચાસરના અને હાલ મોરબીના વાવડી રોડ પર રહેતા મોરબી જિલ્લા ભાજપ આગેવાન નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાએ પોતાના કર્મચારી વિશાલ ચંપકભાઈ રહે-સો ઓરડી,સામાકાંઠે સામે રૂ.૩.૩૫ લાખની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોધાવી છે જેમાં જણાવ્યું છે કે ભક્તિનગર સર્કલ પાસે આવેલ એસ્સાર પંપમાં વિશાલ નોકરી કરતો હતો અને ૨૦૧૬ માં ૧ થી ૭ માસ દરમિયાન તેને ગ્રાહકોને ઉધાર ડીઝલ આપી અને ગ્રાહકો પાસેથી રૂ.2.૯૫ લાખની ઉધરાણી તો કરી લીધી હતી પરંતુ પંપ માલિકને આ પૈસા આપ્યા ન હતા ઉપરાંત માલિક પાસેથી વધુ ૫૦ હજાર ઉછીના લીધા હતા તે પણ પરત કર્યા ન હતા આમ કુલ મળીને વિશાલે કુલ ૩.૩૫ લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોધાય છે.મોરબી એ.ડીવીઝન પોલીસે વિશ્વાસધાતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.