આજ રોજ મોહનભાઇ કુંડરિયા એ ટંકારા તથા નાના ખીજડિયા , મોટા ખીજડિયા , લજાઈ ગામો ની રૂબરૂ મુલાકાત લીધી હતી.જેમાં મોહનભાઈએ જવાબદર અધિકારીઓ ને સુચન કર્યું હતું કે જે લોકો ના ઘર વરસાદ માં તણાઈ ગયા છે તેમના રહેવા માટે ની તાત્કાલિક સગવડ કરવા તથા અસરગ્રસ્તો માટે ફૂડ પેકટસ ની વ્યયસ્થા કરવામાં આવે.મોહન કુંડારિયા,બાવનજીભાઈ મેતલીયા, પ્રવીણભાઈ, ભવાનભાઈ ભાગીયા, કિરીટભાઈ અંદરપા,પ્રભુલાલ કામરીયા સહિતના ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.