

એન.એન.ઓ. મોરબી તથા આઈ.એમ.એ. મોરબી દ્વારા માળિયા વિસ્તારના પુર પીડિતો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૬ ને રવિવારે સવારે ૦૯ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાકે માળિયાની સરકારી હોસ્પિટલમાં નિદાન કેમ્પ યોજાશે જેમાં નિષ્ણાંત તબીબો નિશુલ્ક સેવા આપશે તેમજ દર્દીને જરૂરી દવાઓ પણ આપવામાં આવશે.