


મોરબી નગરપાલિકા આયોજિત લોકમેળો રદ્દ થયો છે ત્યારે મોરબીની પ્રજા માટે હરહંમેશ સેવા માટે તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત લોકમેળો પ્રજાજનોને સતત ૮ વર્ષથી મનોરંજન પૂરું પાડ છે.. મેળાના આયોજક યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી ગ્રુપ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ લોકમેળાનું આયોજન થાય છે. અને અન્ય ખાનગી મેળાઓથી જરા હટકે કોઈ મુલાકાતીઓ પાસેથી પ્રવેશ ફી પણ વસુલવામાં આવતી નથી.
આ ઉપરાંત ક્રિષ્ના લોકમેળામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રોગ્રામો રજુ કરી ફિલ્મી ગીતોને બદલે દેશભક્તિના ગીતો જ સ્ટેજ પરથી રજુ થાય છે, અન્ય મેળાઓમાં સંસ્કૃતિ લોપાય તેવા સ્ટોલ હોય છે જ્યારે આ મેળામાં એવા સ્ટોલ પણ ભાડે આપવામાં આવતા નથી.
આજ રોજ ક્રિષ્ના ઉત્સવ મેળાનું ભવ્ય ઉદધાટન સાંજે ૪ વાગ્યે કામધેનું પાર્ટી પ્લોટની બાજુમાં,શનાળા બાયપાસ ખાતે રાખવામાં આવ્યું છે.જેમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ,ડી.ડી.ઓ. એસ.એમ.ખટાણા,ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ઉધોગપતિ રામજીભાઈ કુંડારિયા ઉપસ્થિત રહેશે.