

મોરબી જલારામ મંદિર દ્વારા સેવાકાર્યમાં આગળ પડતું છે અને દરરોજ મોરબી શહેરમાં વસતા ગરીબ લોકોને દિવસમાં બે ટાઈમ ભોજન કરવામાં આવે.તેમજ મોરબી જલારામ મંદિરના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબી જલારામ મંદિર દ્વારા ભારે વરસાદને પગલે ઝોપડપટ્ટી વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટનું વિતરણ કરવામ આવશે.જેમાં શાક,રોટલી,કઢી-ખીચડી સહિતનું ભોજન કરવામાં આવશે.તેમજ પુર ગ્રસ્ત વિસ્તારની મુલાકત લઇ સ્થિતિ થાળે પડે ત્યાં સુધી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે.