મોરબી : સિંચાઈ કોભાંડના આરોપી જેલહવાલે, હવે ટંકારા-વાંકાનેરની મંડળીનું કનેક્શન ખુલશે ?

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ધરપકડની સિલસિલો ચાલુ રહેશે તેવા સંકેત

        મોરબીમાં ચકચારી નાની સિંચાઈ કોભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય સહિતના મોટા માથાઓની ધરપકડ થયા બાદ પોલીસે વધુ સાત આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ગુરુવાર સુધીના રિમાન્ડ પર સોપ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આજે સાતેય આરોપીને જેલહવાલે કર્યા છે 

        મોરબીના સિંચાઈ કોભાંડમાં ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન રાઈટર મહેન્દ્રસિંહ ઝાલા, ફતેસિંહ, વિજયભાઈ ચાવડા સહિતની ટીમ વધુ તપાસ ચલાવતી હોય જેમાં આરોપી લવજીભાઈ ઉર્ફે ભગત મુળજીભાઈ ચૌહાણ, જયંતીભાઈ લવજીભાઈ ચૌહાણ, મોહનભાઈ દાનાભાઈ પરમાર, જશુભાઈ સવજીભાઈ પરમાર અને ભરત ગોવિંદભાઈ ચૌહાણ રહે પાંચેય સાપકડા તા. હળવદ અને વશરામભાઈ પેથાભાઈ ચૌહાણ રહે કોયબા તથા ભીખાભાઈ વશરામભાઈ ચૌહાણ રહે સુંદરીભવાની એમ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરીને તા. ૧૧ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આજે તમામ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે

વાંકાનેર-ટંકારાની મંડળીના આગેવાનોની સંડોવણી ?

        ચકચારી સિંચાઈ કોભાંડમાં અગાઉ ધારાસભ્ય, નિવૃત ઈજનેર સહિતનાઓની ધરપકડ કરવામાં આવી છે તો ભાજપ આગેવાનનું નામ પણ ખુલ્યું છે જોકે ભાજપ આગેવાનની હજુ ધરપકડ કરવામાં આવી નથી ત્યારે તાજેતરમાં પોલીસે ઝડપી લીધેલા મંડળીના પ્રમુખ અને આગેવાન એવા સાત આરોપીની પૂછપરછ દરમિયાન વધુ નામો ખુલ્યા હોય અને હળવદની મંડળીઓ બાદ સિંચાઈ કોભાંડમાં ટંકારા અને વાંકાનેરના મંડળીના આગેવાનોની સંડોવણી પણ ખુલી સકે છે અને ધરપકડનો સિલસિલો હજુ જોવા મળી સકે તેવા સંકેતો પણ પોલીસ સુત્રોમાંથી મળી રહ્યા છે 

Comments
Loading...
WhatsApp chat