



રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ખારીવાડી ઉમિયાનગર વિસ્તારમાં આવેલી સ્કૂલમાં સિત્તેર વિધાર્થીઓને રેઇનકોટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્કૂલ માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ આજુબાજુની ત્રણ કિલો મીટરથી પગપાળા ચાલીને વાડી વિસ્તાર માંથી આવે છે જેથી ચોમાસામાં પલળી જવાથી સ્કૂલે આવવામાં તકલીફ રહે છે.આવા કારણોસર સ્કૂલમાં ગેરહાજરના રહે તેવા હેતુથી તેમજ સ્કૂલે આવવા પ્રોત્સાહિત કરવાના હેતુથી આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો.જે પ્રોજેક્ટ નું ડોનેશન રોટે. નરભેરરામભાઈ અઘારા તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં મુખ્ય મહેમાન તરીકે સંજય શર્મા એ.બી.આઇ. બેંક મેનેજર ખાસ હાજર રહ્યા હતા. તથા ક્લબ પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ,સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા,ડો. માલમપરા સાહેબ,ડો. પરેશ પરમાર અને રાજેશ ઝાલા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં કરાટે ચેમ્પિયન પારસ અરેનિયા એ કરાટે વિશે માહિતી આપી અને ડેમો બતાવી ને બાળકો ખુશ કર્યા હતા. આ કાર્યકર્મનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરડીયાએ કર્યું હતું અને પ્રોજેક્ટ ચેરમેન વિશાલ ત્રિવેદીએ આ પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો હતો.

