



સાંજના સમયે હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ માર્કેટીંગ યાર્ડની બાજુમાં ગોપાલ ધામ મંદિર નજીક ભરવાડ સમાજની મીટીંગ ચાલુ હતી તે દરમિયાન દરબાર અને ભરવાડ સમાજના લોકો વચ્ચે બધાડાટી બોલી હતી.તેમજ ૨૫ જેટલા વાહનોમાં આગ ચાંપી અને ફાયરીંગ કરવામાં આવ્યું હતું..જેમાં ૧ આધેડનું ધટના સ્થળે મુર્ત્યું નીપજ્યું હતું જયારે ૨ ને વધુ સારવાર માટે મોરબી રીફર કરાયા છે.ધટનાની જાણ થતા જ હળવદ અને મોરબી જીલ્લા પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી અને કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.તેમજ હળવદ-ધ્રાંગધ્રા થઈને જતી એસ.ટી બસ તથા અન્ય ખાનગી વાહનોને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા છે જેથી કરીને અન્ય કોઈ બનાવાનો ભોગ ન બને.આ ઘટનાને પગલે મુસાફરો પરેશાન મુકાયા છે.આ ધટના બાદ હળવદ તથા આજુબાજુના ગામો સજડડ બંધ થઇ ગયા છે.

