

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક તા.૧૬ ના રોજ બપોરના ૦૩ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતીમાં રજુ થયેલા પ્રશ્નો અને તેની સુનવણી તેમજ સમીક્ષા કરાશે. તેમજ સંકલન સમિતિની બેઠકમાં રજુ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. જેને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર કેતન જોષીની યાદીમાં જણાવાયું છે.



