મોરબીના ક્રિકેટ કોચે સ્પોર્ટ્સ સાયકોલોજીનો વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોના કોચ નિશાંત જાનીએ તાજેતરમાં યોજાયેલ સ્પોર્ટ્સ સાયકોલોજીમાં ૦૫ દિવસનો વર્કશોપ સફળતાપૂર્વક પાસ કરીને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું છે
સ્કીલ નેશનના સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ ટ્રેઈનર મિતેશ જૈનના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં તા. ૧૧ થી ૧૬ જાન્યુઆરી દરમિયાન ૦૫ દિવસનો સ્પોર્ટ્સ સાયકોલોજી વર્કશોપ યોજવામાં આવ્યો હતો જે વર્કશોપમાં ભાગ લઈને મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીએ કોર્સ કમ્પ્લીટ કર્યો છે અને ૫ દિવસીય કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું છે
સ્પોર્ટ્સ સાયકોલોજી વિષે કોચ નિશાંત જાનીએ વિવિધ નવી જાણકારી પ્રાપ્ત કરી છે જેથી તેઓ હવે મોરબીના ખેલાડીઓને વધુ સઘન તાલીમ આપી શકશે અને મોરબીના યુવા ખેલાડીઓને તેનો લાભ મળશે તો કોચ નિશાંત જાની જણાવ્યું ક્રિકેટ પ્રોત્સાહન મળે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પૂરતો સહયોગ આપી રહ્યા છે