મોરબી માળિયા હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે જ્યાં છાશવારે અકસ્માત સર્જાતા રહે છે તો આજે રક્ષાબંધનના પર્વ નિમિતે કન્ટેનર સાથે બાઈક અથડાતા બાઈકસવાર યુવાનનું મોત થયું છે જયારે તેની પત્ની અને બાળકને ઈજા પહોંચી છે
મોરબી માળિયા હાઈવે પરના ભરતનગર નજીક આજે બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કન્ટેનર સાથે બાઈક અથડાતા બાઈકસવાર યુવાન રાકેશભાઈ રાવળ નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જયારે બાઈકમાં સવાર તેની પત્ની અનિતાબેન રાવળ અને તેના બાળકને ઈજા પહોંચતા ૧૦૮ ટીમના ધર્મેન્દ્રભાઈ આહીર અને ડોક્ટર હિમતભાઈ ગોહિલની ટીમે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે