


મોરબી જિલ્લામાં પુરની વિકટ પરિસ્થિતિને પહોચી વળવા જિલ્લા કલેકટરે તમામ કચેરી ચાલુ રાખવા હુકમ કર્યો હતો ત્યારે મોરબી જિલ્લામાં પુર ની પરીસ્થિતિ વખતે માળીયા મિયાણા તાલુકામાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ સર્કલ ઓફિસર પારસ ત્રિવેદી ને જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે સસ્પેન્ડ કરવા હુકમ કરતા મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.