મોરબી સીટી બસના સ્ટાફની પ્રમાણિકતા, મુસાફરનો કીમતી મોબાઈલ પરત આપ્યો 

 

મોરબીમાં સીટી બસ સેવા ચાલુ હોય જે સીટી બસમાં એક મુસાફર પોતાનો કીમતી મોબાઈલ ભૂલી ગયો હોય અને સીટી બસના સ્ટાફને મોબાઈલ મળતા મોબાઈલ મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતી સીટી બસમાં મુસાફરી કરતી વેળાએ એક મુસાફર પોતાનો મોબાઈલ ભૂલી ગયા હોય જે ૨૦ હજારની કિમતનો મોબાઈલ સીટી બસના સ્ટાફ પ્રભુભાઈને મળ્યો હોય જે કશી લોભલાલચને વશ થયા વગર સીટી બસની ઓફિસમાં જમા કરાવ્યો હતો અને સીટી બસ ઓફિસનું સંચાલન કરનાર અશોકભાઈ જોશીએ મોબાઈલના મૂળ માલિકને શોધીને ખરાઈ કરીને મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો હતો સાથે જ સીટી બસના સ્ટાફની પ્રમાણિકતાને પણ બિરદાવી હતી

Comments
Loading...
WhatsApp chat