શ્રાવણી પૂનમને ગ્રહણ લાગતા ભુદેવોએ ક્યારે જનોઈ બદલવી?

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભજન, ભક્તિ અને પુણ્યના કાર્યો થતા હોય છે. આજ મહિનાની પૂનમ એટલે કે બળેવના દિવસે ભૂદેવો જનોઈ ધારણ કરતા હોય છે, પરંતુ ચાલુ માસે ગ્રહણ હોવાને લીધે જનોઈ વિધીમા ફેરફાર થયો છે. આ બાબતે મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના આચાર્ય વિપુલભાઇ શુક્લએ જણાવ્યું હતું કે, બળેવના દિવસે ગ્રહણ હોવાથી જનોઇવિધિ સંવત 2073 શ્રાવણ સુદ પાંચમ શુક્રવાર તા. 28મીના સવારે 9 વાગ્યે વાંકાનેર દરવાજા બહાર બાલમંદિર સામે ઔ.સ.બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યોજાશે.

Comments
Loading...
WhatsApp chat