મોરબી : મકાનમાંથી અર્ધા લાખના મુદામાલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના વીસીપરા વિસ્તારમાં પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો તેમના મકાનમાંથી અર્ધા લાખ મુદામાલની ચોરી કરી ગયા હતા જે મામલે બી ડિવિઝન પોલીસે ચોરી કરનાર શખ્સને ઝડપી લીધો છે અને રૂપિયા 43  હજારના ચોરાઉ મુદ્દામાલને રિકવર કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રઘુભાઈ ઝંઝવાડિયા ઉ.વ.42 ગત તા.25 ના રોજ રાત્રે પોતાના ઘરમાં સુતા હતા.ત્યારે તેમના મકાનમાં તસ્કરો આવ્યા  પરિવાર સૂતો રહ્યો   તેમના મકાનના કબાટમાંથી રોકડ તથા દાગીના મળીને કુલ રૂ.50 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા.આ બનાવની મકાન માલિકને જાણ થતાં તેમણે પોતાના ઘરમાંથી રૂ.50 હજારના મુદામાલની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બી ડિવિઝન પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ચોરીમાં સંડોવાયેલા કાલી ઉર્ફે કુલદીપ ધવલસિંહ ખીચી રહે વીસીપરા હાઉસિંગ હનુમાનજી મંદિર પાસે વાળાને કેશવાનંદ આશ્રમ પાસેથી ઝડપી લીધો હતો અને આ આરોપીએ ઘરફોડ ચોરીની કબૂલાત આપતા પોલીસે તેની પાસેથી રૂ.43 હજારના ચોરાઉ મુદ્દામાલને કબ્જે કર્યો હતો.

Comments
Loading...
WhatsApp chat