ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ શ્રીમદ રાજચંદ્ર ભુવન વવાણીયાની સુવિધાના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવ્યા



ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ વિધાનસભામાં શ્રીમદ રાજચંદ્ર ભુવન વવાણીયામાં સુવિધા બાબતના પ્રશ્નો ઉઠાવ્યા હતા
વિધાનસભામાં શ્રીમદ રાજચંદ્ર ભુવન વવાણીયામાં સુવિધા બાબતે ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો જેમાં તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયા મુકામે આવતા મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓની ચિંતા કરતા પ્રશ્નો પૂછ્યા હતા જે પ્રશ્ન નં.1052 ના જવાબમાં પ્રવાસન મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રીમદ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે રૂ 801.11 લાખના ખર્ચે સત્સંગ હોલ, ભોજનાલય, રસોઈ ઘર, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરીટી કેબીન, મેઈન ગેઇટ, લેન્ડરસ્કેપિંગ, ટોઇલેટ બ્લોક સહિતની સુવિધાઓ ઉભી કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે

