હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદ થવાની સભાવના લીધે ખેડૂતોને પોતાના માલની તકેદારી રાખવા સૂચન કર્યું છે.
મળતી વિગત મુજબ આગામી તા.૫ અને ૬ ના રોજ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ થવાની સભાવના હોવાથી જેથી દરેક ખેડૂતોએ પોતાનો ખેત ઉત્પન્ન માલ વરસાદથી પલળે નહી. તે રીતે વાહનમાં ઢાંકીને વેચાણ માટે લાવવા તેમજ સેડ ઉપર ઉતરાઇ થયા પછી ખેડૂતોના માલને નુકશાન ન થાય તે રીતે દરેક એજન્ટો,વેપારીઓ તથા ખેડૂતભાઇઓએ પોતાના માલની તકેદારી રાખવાની ભલામણ મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદીમાં જણાવ્યું છે .