ટંકારામાં કોરોના કહેરને પગલે નાગરિકોને તકેદારી રાખવા અગ્રણીઓની અપીલ

ટંકારામાં વધતા જતા કોરોના કેસોને પગલે તાલુકા પંચાયતના સદસ્ય સહિતના અગ્રણીઓએ નાગરિકોને તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે
ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ, નિશાબેન ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીએ ટંકારાના ગ્રામજનોને અપીલ કરી છે કે કોરોના કહેરને રોકવા સૌ માસ્ક પહેરે તે જરૂરી છે તે ઉપરાંત કામ સિવાય ઘરની બહાર ના નીકળવા તેમજ શેરીઓમાં ટોળે વળી એકત્ર ના થવા અપીલ કરી છે ભીડથી દુર રહી પરિવાર અને પોતાની સલામતી માટે નાગરિકો જાગૃત બને તેવી અપીલ કરી હતી

Comments
Loading...
WhatsApp chat