મોરબીના પરશુરામધામ ખાતે આજથી ત્રણ દિવસીય ભગવાન પરશુરામ દાદાની કથાનો શુભારંભ

 

મોરબીના પરશુરામધામ ખાતે ત્રણ દિવસીય ભગવાન પરશુરામ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે શુક્રવારથી કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો

મોરબીમાં ભગવાન પરશુરામ દાદાની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરશુરામ દાદાની પોથીયાત્રા પરશુરામધામ ખાતેથી નીકળી જોધપર ભાણદેવજી મહારાજ આશ્રમ થઈને પરત પરશુરામ ધામ ખાતે પહોંચી હતી અને આજથી ત્રિદિવસીય કથાનું આયોજન કરાયું છે દરરોજ પરશુરામ દાદાનો યજ્ઞ અને બપોરે ૩ થી ૬ કલાક સુધી કથાનો સમય રહેશે અને બાદમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હોય જેથી સર્વે ધર્મપ્રેમી જનતાએ પધારવા પરશુરામધામ ટ્રસ્ટ મોરબીએ નિમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat