મોરબીના સામાજિક અગ્રણી નિર્મિત કક્કડએ જન લોકપાલ સહિતના મુદે અન્ન હજારને પત્ર લખ્યો

મોરબી વિહિપ અગ્રણી અને સામાજિક કાર્યકર નિર્મિત કક્કડે ભ્રષ્ટાચાર મુદ્દે ચળવળ ચલાવનાર અન્ના હજારેને પત્ર પાઠવી જન લોકપાલ સહિતના મુદ્દે રજુઆત કરી છે.જેમાં જણાવ્યા હતું કે મોરબી નો સામાજીક કાયઁકર છું. હુ આપના ૨૦૧૧-૧૨ ના લોકપાલ બીલ, એન્ટી કરપ્શન, ભાવ વધારો વગેરે મુદ્દે કરેલા આંદોલન થી ઘણો પ્રભાવિત થયો છું. તમારા આંદોલન ની અસર થી UPA સરકાર શરણે થઇ ગઈ હતી અને વિચારવા મજબુર બની અને પ્રયત્ન કયાઁ પણ સફળ ન થયા. તેથી ભારત ના નાગરિકો એ ૨૦૧૪ મા સરકાર બદલી નાખી. આજે પણ ની દેશ મા આજે પણ જન લોકપાલ બીલ નથી જે તમારા આંદોલન ની મુખ્ય માંગ હતી, આજે પણ દેશ મા મોટા પાયા પર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, દરરોજ પેટ્રોલીયમ ઉત્પાદનો નો ભાવ વધારો દરેક ભારતીય ને સહન કરવો પડે છે, કાશ્મીર મા થતા વારંવાર આતંકી હુમલાઓ મા દેશ ના જવાનો શહીદ થઈ રહ્યા છે, RBI ના અહેવાલ મુજબ નોટબંધી થી કાળા નાણા પર અંકુશ લાગ્યો નથી જેવી વિવિધ સમસ્યાઓ દેશ ને સતાવી રહી છે.

આપના આંદોલન મા ઉપરોક્ત મુદ્ાઓનો સમાવેશ થયેલ હતો. દેશ ની વતઁમાન પરિસ્થિતી કાંઇક અલગ જ છે. મારી આપને વિનંતી છે કે આપ સરકાર સાથે આ બાબતો ની મંંંત્રણા કરશો.હુ સ્થાનીક કક્ષા નો સામાજીક કાયઁકર છુ માટે મારી રજુઆત અસરકારક ન રહ. આપ આ કરવા સક્ષમ છો. અમને આપના પર પૂણઁ વિશ્વાસ છે.

Comments
Loading...
WhatsApp chat