



માળીયા (મી) તાલુકામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે એ સૌથી અગત્યની અને ટોચનો અગ્રતાક્રમ ધરાવતી જરૂરિયાત હોય જેથી ખેડૂત આગેવાનો અને માજી ધારાસભ્ય દ્વારા આ મામલે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા તા. ૧૫ સુધીમાં સિંચાઈનું પાણી છોડવામાં આવશે તેવી ખાતરી મળતા ખેડૂતોની દિવાળી સુધરી ગઈ છે
માળીયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિત રક્ષક સમિતિના અંદાજે 18 જેટલા આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા મુખ્ય ઇજનેરની મુલાકાત કરી હતી, જે મુલાકાત ફળદાયી રહી છે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા મુખ્ય ઇજનેર દ્વારા ખાત્રી આપી છે કે વ્હેલામાં વ્હેલી તકે કેનાલમાં પાણી છોડવામાં આવશે અને વધુમાં વધુ 10 દિવસમાં માળીયા બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે.
ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાન અશોકભાઈ બાપોદરિયા (મહામંત્રી, માળિયા તાલુકા ભાજપ) નરભેરામભાઈ ગઢિયા (પૂર્વ મહામંત્રી, માળિયા તાલુકા ભાજપ) હસમુખભાઈ કૈલા (પૂર્વ ઉપપ્રમુખ, માળીયા તાલુકા પંચાયત) કાંતિલાલ વિડજા જુના ઘંટીલા નિલેશભાઈ સંઘાણી ખીરઈ નાગજીભાઈ દેત્રોજા કુંભારીયા વિઠ્ઠલભાઈ પટેલ માણાબા તથા મુન્નાભાઈ સુલતાનપુર તથા અન્ય પ્રતિનિધિઓ જોડાયા હતા



