મોરબીમાં જલારામ બાપને સાડા આઠ ફૂટના રોટલાનો પ્રસાદ ધરાવ્યો

નિરાધાર બાળકો,સાધુ-સંતોના હાથે કેક કાપી જલારામ જયંતિની ઉજવણી

આજે જલારામ જયંતી નિમિતે સૌરાષ્ટ્રભરમાં ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી ખાતેના જલારામ મંદિરે વહેલી સવારથી ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પ્રભાતધૂન બાદ શોભાયાત્રા યોજાઈ હતી તે ઉપરાંત પૂજ્ય જલારામ બાપાની જયંતી નિમિતે સાડા આઠ ફૂટનો બાજરાનો રોટલો બનાવવામાં આવ્યો હતો જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બપોરે નિરાધાર બાળકો અને સાધુ સંતોના હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત સર્વજ્ઞાતિ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પ્રસાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી તેમજ બાળકો માટે વેશભૂષા કાર્યક્રમો યોજી જલારામ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat