કોરોના મહામારીને પગલે મોરબીમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી જન્મજયંતી મહોત્સવ મોકૂફ

 

કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને ધ્યાને લઈને મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા દર વર્ષે આયોજિત રામાનંદાચાર્યજીની જન્મજયંતી મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે

શ્રી રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તા. ૨૧-૦૧-૨૦૨૨ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૨ મી જન્મ જયંતી હોય સરકારના આદેશ અનુસાર કોરોના મહામારીને ધ્યાને લઈને જન્મજયંતી નિમિતે યોજાનાર શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ મોકુફ રાખેલ છે જેની સર્વે જ્ઞાતિજનોએ નોંધ લેવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat