પ્રદુષણ ફેલાવતા ઉધોગને મંજુરી મળશે તો ચુંટણીના બહિષ્કારની ચીમકી

ટંકારા તાલુકાના લજાઈ ગામે ગ્રામસભામાં સ્વાસ્થ્યને નુકશાનકારક ઉધોગને ગામતળ વિસ્તારમાં મંજુરી નહી આપવા ગામના સરપંચ પ્રભાબેન મનસુખભાઈ મસોત,ઉપસરપંચ હસમુખભાઈ મસોત, ગ્રામપંચાયત સદસ્યો તેમજ ગ્રામજનોની હાજરીમા સહીઅો કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.લજાઈ ગામની ગામતળ વિસ્તારમાં ચોકડી પાસે આવેલ જમીન સર્વે નં. ૬૩૪ પૈ.માં ગ્રામપંચાયતની મંજુરી લીધા વિના જ બિનખેતીની ફાઈલ કયાં તૈયાર થઈ…? તે અેક ચર્ચાનો વિષય છે આ ફાઈલની મંજુરી કોણે આપી…? ગામના સરપંચઓ આ પહેલા મોરબી કલેકટર, ગાંધીનગર તેમજ સાંસદ મોહનભાઈને પણ જણાવ્યું હતું છતા પણ ઉધોગકારની મનમાનીથી ગ્રામજનો તેમજ સરપંચ રોષે ભરાતા કોઈપણ ભોગે ઉધોગ નહી થવા દેવા ચિમકી ઉચ્ચારી છે. ઉધોગકાર ચમરબંધી અને લિંક ધરાવતો કેમ ન હોય તો પણ તેના તાબે નહી થાય તેવુ સરપંચઓએ જણાવ્યું હતું. આ જમીનની બાજુમાં જ પ્રા.આરોગ્ય સેન્ટર, હાઈસ્કુલ, પાણીનો સંપ આવેલ હોવાથી કોઈ ઉધોગ પ્રદુષણ અોકતું કે ઘોંધાટ કરતા ઉધોગ જનઆરોગ્યને પણ નુકશાન પહોચે તેમ છે. ગ્રામજનો તેમજ સરપંચઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જરુર જણાશે તો કલેકટર, મુખ્યમંત્રીના દ્વાર પણ ખટખટાવીશું છતા ન્યાય નહી મળે તો ચુંટણીનો પણ બહિષ્કાર કરતા ખચકાશું નહી અને ગાંધી ચિંન્ધ્યા રાહે આંદોલન પણ કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat