ગુજરાત રાજ્ય ગુરુવંદના પંચની રચના કરી હોદેદારોની વરણી કરાઈ

 

ગુજરાત રાજ્ય ગુરુવંદના પંચની રચના કરવામાં આવી છે અમદાવાદ ખાતે હાથીજણ લાલબાપાના આશ્રમમાં આયોજિત સંતો મહંતોના મહા સંમેલનમાં રાજ્યના ગુરુ વંદના પંચની રચના કરવામાં આવી છે

 

જે પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રમુખ મહામંડલેશ્વર મહંત કનીરામબાપુ, પ્રમુખ ગુજરાત પ્રદેશ મહામંડલેશ્વર લલિત કિશોરદાસજી મહારાજ, સાયલા જગ્યાના મહાનત દુર્ગાદાસજી મહારાજ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત મહા સચિવ કબીર આશ્રમના મહંત શિવરામદાસજી મહારાજ તેમજ મોરબી જીલ્લા પ્રમુખ મહંત દલસુખ મહારાજ, ઉપપ્રમુખ મહંત દામજી ભગત અને મંત્રી તરીકે ભાવેશ્વરી માતાજી ઉપસ્થિત રહ્યા હતા અને સંતોની સહમતીથી નિમણુક કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat