મોરબી પંથકમાં શ્રાવણીયા જુગારના ધમધમાટ વચ્ચે એ ડીવીઝન પોલીસે બે સ્થળે દરોડા કરી કુલ નવ આરોપીને રોકડ રકમ સાથે ઝડપી લેવાયા છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચનાથી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા રામજી મંદિર ચોકમાં જાહેર જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતા જુગાર રમી રહેલા મુકેશસિંહ ઉર્ફે ભાણુંભા ભીખુભા જાડેજા, નીલેશગીરી મોતીગીરી ગોસ્વામી, અજય પુનાભાઈ વાળા અને ઉપેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા એમ ચારને ઝડપી ૭૭૪૦ ની રોકડ જપ્ત કરી છે
જયારે મોરબીના વાવડી રોડ પર સોમૈયા સોસાયટીમાં જાહેર જુગાર અંગે બાતમી મળતા દરોડો કર્યો હતો જેમાં આરોપી પ્રયાગ અશોક પ્રજાપતિ, ભાવેશ શાંતિલાલ કુંભાર, મુકેશ વિનોદ અનડકટ, રવિ ચુનીલાલ બાવરવા અને તુષાર નટુભાઈ લોહાણા એમ પાંચને ઝડપી ૨૨,૭૫૦ ની રોકડ જપ્ત કરી છે