


મોરબીની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજમા ધોરણ ૧૨ મા ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓ કે જેમણે કોલેજમા પ્રવેશ મેળવ્યો છે તેમને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ પ્રવેશ આપવામા આવ્યો છે.
આજ થી શરૂ થતા નવા શૈક્ષણીક સત્ર મા બી.કોમ., બી.બી.એ.,બી.સી.એ., એલ.એલ.બી. મા પ્રથમ વર્ષમા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કંકુ તિલક કરી, આરતી ઉતારી, પ્રસાદ દ્વારા મોં મીઠું કરાવી પ્રવેશ આપવામા આવ્યો છે. પ્રિન્સીપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયાએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.
આ તકે સંસ્થાના ટ્રસ્ટી એન.એચ. જેઠવા, સુમંત ભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશીયા, જયેશભાઈ મહેતા, વિમલ ભાઈ વરસાણી, ભરતભાઈ વાણોલ, હીમાંશુ ભાઈ શેઠ, હાર્દીકભાઈ ઉદાણી, નિર્મિત કક્કડ, શિવમ જાની, ભગીરથસિંહ ઝાલા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

