મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ દ્વારા અંતિમ યાત્રા બસની સેવા લોકાર્પણ કરાઇ

 

જય સિદ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રવિવારે કાર્યક્રમ યોજીને અંતિમ યાત્રા બસ (વૈકુંઠ રથ) નું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું

        મોરબીના માધાપર વિસ્તારમાં જય સિદ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે જેમાં દાતાઓના સહયોગથી અંતિમયાત્રા બસ સેવાનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે સમસ્ત મોરબી સતવારા સમાજની સેવામાં દાતાના સહયોગથી શ્રધ્ધાંજલી સેવા, એસી ઓકિસજન એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી રહી છે અને હવે અંતિમ યાત્રા બસની સેવાને પણ શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્ર્મ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ હોલ ખાતે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રાખવામા આવ્યો હતો  

મુખ્ય દાતા સ્વ. જેઠાભાઇ મલાભાઇ પરમારના સ્મરણાર્થે ગં.સ્વ. ભારતીબેન જેઠાભાઇ પરમાર અને તેના પુત્રો કલ્યાણજીભાઇ જેઠાભાઇ પરમાર તથા દયારામભાઇ જેઠાભાઇ પરમાર સહિતના અન્ય દાતાઓનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, ઉપપ્રમુખ કે.કે. પરમાર, ભાવેશભાઈ કંઝારીયા, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat