મોરબી જલારામ મંદીર દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા નિમિતે ફરાળ પ્રસાદ વિતરણ

જન્માષ્ટમીના પાવન પર્વે તા-૩ ને સોમવાર ના રોજ કૃષ્ણ જન્મોત્સવ ને વધાવવા માટે શહેરીજનો ના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પરંપરાગત રૂટ મુજબ શહેરના રાજમાર્ગો પર જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળશે તેમજ વિવિધ સ્થળોએ મટકીફોડ દ્વારા કૃષ્ણ જન્મોત્સવને વધાવવામા આવશે.

આ શોભાયાત્રા દરમિયાન શહેરના તમામ કૃષ્ણ ભક્તોને ફરાળ પ્રસાદ મળી રહે તે હેતુસર વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રસાદ વિતરણ કરવામા આવશે.

આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા ગીરીશ ભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, હરીશ ભાઈ રાજા, જયેશ ભાઈ કંસારા, હસુ ભાઈ પુજારા, હીતેશ જાની, રાજુ ભાઈ ગણાત્રા, વિહીપ અધ્યક્ષ ચંદ્રવદન ભાઈ પુજારા, વિહીપ મંત્રી નિર્મિત કક્કડ, પપ્પુ ભાઈ ચંડીભમ્મર, અનિલ ભાઈ સોમૈયા, જીતુ ભાઈ કોટક,દીનેશ સોલંકી, ફીરોઝ ભાઈ સહીત ના જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat