મોરબી ખાતે “રોજગાર અને એપ્રેંટીશ ભરતી મેળા”નું આયોજન

 

રોજગાર દિવસ/આજીવિકા દિવસ નિમિત્તે રોજગાર વિનિમય કચેરી, મોરબી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા. ૫/૫/૨૦૧૮ ના રોજ સવારના ૧૧.00 કલાકે વી.સી. ટેકનિકલ  હાઇસ્કૂલ, વી.સી. ફાટક પાસે, મોરબી ખાતે “રોજગાર અને એપ્રેંટીશ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આઇટીઆઇ/ ડીપ્લોમા /સ્નાતક્ / અનસ્કીલ્ડ/એસએસસી વગેરેની લાયકાત ધરાવતા ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ તરીકે અથવા કામદાર તરીકે પસંદગી કરવા માટે અગ્રગણ્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે

 

રોજગાર અને એપ્રેન્ટીશ ભરતી મેળામાં પસંદગીની કાર્યવાહી કરશે જેથી એપ્રેન્ટીસશીપ તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, સ્કુલ લીવીંગ સર્ટી.આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇજ્ના ફોટોગ્રાફ વગેરે અસલ અને નકલો સાથે, તેમજ  ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો વાલી સાથે, સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નહી નોંધાવેલ ઉમેદવારો પણ ઉપસ્થિત રહી શકશે.

એપ્રેન્ટીસશીપ તાલીમ વિનામુલ્યે હોય છે અને પ્રતિમાસ સરકારના નિયમોનુસાર સ્ટાઇપેન્ડ અને રજાના લાભો મળવાપાત્ર છે. તેમજ તાલીમ પુર્ણ થયે અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં  સફળ થનાર ઉમેદવારોને પ્રમાણપત્ર  આપવામાં આવે છે. તેમ રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat