સંકલન સમિતિમાં રજુ થતા પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા અધિકારીઓને તાકીદ

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડમાં યોજાઇ હતી.જનવિકાસને સ્પર્શતા પ્રશ્નો ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ દ્રારા રજુ થતા હોય તેનો સત્વરે યોગ્ય નિકાલ કરવા અને જરૂર પડે ત્યારે પદાધિકારીઓ સાથે સંકલન કરી પ્રશ્નો હલ કરવા ચુસ્ત પણે સુચનાનો અમલ કરવા અધિકારીઓને આજે મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે માકડીયાએ જણાવ્યું હતું

કલેકટરએ ટ્રાફીક નિયમનમાં અડચણ ન આવે તે માટે નવલખી ફાટક પાસે ડીવાઇડર લંબાવવા તેમજ કેન્દ્ર અને રાજય સરકારની લોક વિકાસની યોજનાઓના અપાયેલ લાભોની વિગતો આપવા જણાવ્યું હતું.
આ સંકલન બેઠકમાં શિક્ષણ, રોડ રસ્તા, ભૂર્ગભગટરના, શહેરી સ્ટીટ લાઇટ, નદી સફાઇ, ચેકડેમ રીપેરીંગ, પાણી વહેણના વગેરે પશ્નો ધારાસભ્યશ્રીઓ દ્રારા રજુ થયા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, ધારાસભ્યો બ્રિજેશભાઇ મેરજા, મહમદજાવિદ પીરઝાદા, પરસોતમભાઇ સાબરીયા તથા નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી. તેમજ જીલ્લાના જુદી જુદી કચેરીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Comments
Loading...
WhatsApp chat