વાંકાનેરના માટેલ ગામ નજીક કારખાનામાં કામ કરતાં વૃદ્ધનું વીજશોકથી મોત થયાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના માટેલ ખાતે અરમાન વીટ્રીફાય કારખાનામાં કામ કરતાં ૫૦ વર્ષીય ઉદયભાન રામકેવલ યાદવને વીજશોક લાગયો હતો. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે