ડીવાયએસપી આઈ.એમ.કોંઢીયાએ વડીલોની વંદના કરી ચાર્જ સંભળાયો
મોરબીમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા આઈ. એમ. કોંઢિયાને ડીવાયએસપી તરીકે પ્રમોશન સાથે અમદાવાદ બદલી થઇ હતી જેથી તેઓએ વૃધ્ધશ્રમના વડીલોની વંદના કરી ચા, પાણી નાસ્તો અને ભોજન કરાવ્યા બાદ પોતાની ડીવાયએસપી ફરજ સંભાળી હતી.
મોરબી ખાતે ફરજ બજાવનાર પીઆઇ આઈ.એમ.કોંઢીયાને ડીવાયએસપીનું તાજેતરમાં પ્રમોશન આપી અમદાવાદ ખાતે બદલી કરતા તેઓએ ફરજના પ્રથમ દિવસે અમદાવાદમાં આવેલ ઘરડાઘર ખાતે વૃદ્ધોને ચા-નાસ્તો અને ભોજન કરાવીને આશીર્વાદ મેળવીને ડીવાયએસપી તરીકેના પ્રથમ દિવસની શરૂઆત કરી હતી. મોરબી ખાતે ફરજ બજાવનાર પીઆઇ આઈ.એમ.કોંઢીયાએ સેવાકીય પ્રવૃત્તિ કરી નવી જવાબદારી સાંભળી હતી.