મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પીટલમાં સેવા આપતા અને બાળરોગ નિષ્ણાંત ડો. મનિષ સનારીયાનો આજે જન્મદિવસ છે. તા.૭-૧૧-૧૯૮૫ ના રોજ જન્મેલ મનિષભાઈ નાનપણથી જ સરળ સ્વભાવના તેમજ સમાજ સેવા ની ભાવના ઘરાવે છે. તેમણે ઉચ્ચ અભ્યાસ કરી હાલ મોરબીમાં પ્રેક્ટીસ કરી રહ્યા છે. તેઓએ બાળ આરોગ્ય જાળવણી તેમજ જાગૃતિ અંગે અનેક કાર્યક્રમો કર્યા છે આજે મનીષભાઈના જન્મદિવસ નિમિતે સાથી ડોકટર મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો, મિત્રો સહિતના તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.