


મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા શુદ્ધ ઘીનો મોહનથાળ તેમજ શુદ્ધ ઘીનો કાજુ મૈસુબ અને ટોપરાપાક વોક પેકિંગમાં જાહેર જનતાના લાભાર્થે તદન વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવશે
રાહતદરથી મીઠાઈ મેળવવા માટે તા. ૨૫ સુધીમાં બુકિંગ કરાવવું જરૂરી છે જે બુકિંગ માટે ઠા દલીચંદ જેરામભાઈ, પરાબજાર મોરબી, જયવિન પ્રોવિઝન સ્ટોર્સ ગ્રીન ચોક મોરબી અને ચંદન કિરાણા સ્ટોર્સ સામાકાંઠે કુળદેવી પાન સામે મોરબી-૨ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે તેમજ તા. ૩૦ ના રોજ બપોરે ૩ થી ૫ કલાકે લોહાણા મહાજન વાડી,સુધારા શેરી મોરબી ખાતે વિતરણ કરવામાં આવશે તેમ વેપારી મિત્ર મંડળની યાદીમાં જણાવ્યું છે