મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલી શેરી નં ૧૪ અને ૧૫ એ બે શેરીઓમાં છેલ્લા કેટલાક દિવસથી દુષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગટરના ગંદા પાણી ભળેલા હોય તેમજ પાણીમાં ફીણ વળતું હોય તેવું પાણી પીવામાં કામ આવતું નથી વળી હાલ ચોમાસા બાદ જે રોગચાળો ફેલાયો છે તેનાથી પણ નાગરિકો ભયભીત છે એવામાં દુષિત પાણીનું વિતરણ થતા આ વિસ્તારના લોકોને રોગચાળો ભરડો લે તેવી સતત દહેશત જોવા મળે છે. જન આરોગ્યની દરકાર લેવામાં પાલિકા તંત્ર હમેશા ઉણું ઉતર્યું છે. અનેક પાયાની સુવિધાઓ તંત્ર હજુ સુધી આપી શક્યું નથી એની સાથે વળી દુષિત પાણી વિતરણને કારણે આ વિસ્તારમાં દેકારો મચ્યો છે અને શુદ્ધ પીવાલાયક પાણી આપવાની માંગ લત્તાવાસીઓ કરી રહ્યા છે.