મોરબીની જય અંબે ગરબીની બાળાઓ સહિતનાનો જમણવાર,ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

મોરબીના ગ્રીન્ચોક વિસ્તારમાં આવેલ દફતરી શેરી,હીરાભુવન નજીક છેલ્લા ૪૦ વર્ષથી “જય અંબે ગરબી મંડળ”દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન થાય છે.તેમજ માતાજીની આરાધના સાથે કલાના કામણ પાથરતા આ ગરબી ખુબ લોકપ્રિય છે આ વિસ્તારના લોકો તો નવરાત્રી મધરાત્રીના ગરબી સંપન્ન થાય ત્યાં સુધી માતામય વાતાવરણનો ;લાભ ઉઠાવે છે અહી ગરબે ધુમતી નાનીબાળાઓને નિહાળવી એ એક લ્હાવો છે.
નવરાત્રીના સમાપન બાદ વર્ષોની પ્રણાલી મુજબ શરદપુનમના દિવસે બાળાઓ અને ભાવિકો માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે.નવરાત્રીની શરૂઆત પૂર્વથી શરદપૂનમ સુધી આ વિસ્તારના અગ્રણી યુવા કાર્યકરો હરદેવસિંહ ઝાલા,હસુભાઈ માજન,અમિતભાઈ,કૌશિકભાઈ પટેલ,વિમલભાઈ શાહ,નૈમિષ કોઠારી,હિતેશભાઈ સોની,ચંદ્રેશભાઈ શાહ,મલયભાઇ દફતરી,ભરતભાઈ મહેતા,પ્રફુલભાઈ મહેતા અને દિલીપભાઈ દોશી સહિતનાઓ જહેમત ઉઠાવે છે.

Comments
Loading...
WhatsApp chat