ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ટંકારા મામલતદારને રજૂઆત

ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે ટંકારા તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આ તકે કોંગ્રેસ અગ્રણી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રજુઆતમાં જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણના લીધે રાજ્યના ખેડૂતો સહિત સમગ્ર પ્રજા ત્રસ્ત બનેલી છે. ખેડૂતો પાકવીમાં, વીજળી, ખેતપેદાશોના અપુરતા ભાવ સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા છે.તેમજ સરકારના પ્રજા વિરોધી નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધીક કાનૂની જોગવાઈઓનો બેફામ દૂર પ્રયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે.

આ તકે ટંકારા તાલુકા કોંગ્રેસ અગ્રણી સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Comments
Loading...
WhatsApp chat