


સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે પરંતુ મોરબી મળીય પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ વરસાદ વરસ્યો નથી ત્યારે ધારાસભ્ય દ્વારા કુત્રિમ વરસાદ વરસાવવાની માંગ કરવામાં આવી છે.
ચાલુ વર્ષે મોરબી તાલુકાના ઝીકિયારી, જીવાપર, કેશવનગર માળિયાના વર્ષામેડી, બગસરા, ન્યુ નવલખી જેવા ગામોમાં તો ફક્ત દોઢ ઈચ જેટલો જ વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બની નિરાશ બન્યા છે ત્યારે આ ગામડાઓમાં કૃત્રિમ વરસાદ વરસાવવાની સાથે સાથે નર્મદા યોજનની કેનાલ થકી પાણી આપવા ધારાસભ્ય મેરજાએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નર્મદા યોજનમાંથી પાણી આપવા રજુઆત કરાતા હકારાત્મક અભિગમ સરકારે અપનાવ્યો છે પરંતુ બધા ગામો સુધી પાણી પહોંચે તેમ ન હોય ખાસ કરીને ઝીકિયારી વિસ્તાર માટે ઘોડધ્રોઈ ડેમમાં પાણી ઠાલવવા નિર્ણય કરવા જણાવ્યું છે,
આ ઉપરાંત હાલના સંજોગોમાં કેનાલમાં પડેલા ગાબડાંને કારણે પાણી બંધ કરવાના નિર્ણયને કમનસીબ ગણાવી ઉનાળામાં કેનાલ બંધ હતી ત્યારે કેનાલની મરામત કરી લેવી જરૂરી હોવા છતાં સરકારે તે દિશામાં ધ્યાન ન આપ્યું હોવાનું પણ જણાવ્યું હતું આ ઉપરાંત ધારાસભ્ય મેરજાએ ઉનાળામાં ખેડૂતોને થયેલા અન્યાય અંગે પણ અવાજ ઉઠાવી સમગ્ર માળીયા તાલુકાના બાકી રહેતા ગામો માટે પણ નર્મદા યોજનામાં સમાવેશ કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી
દરમિયાન હાલમાં દરરોજ વાદળછાયું વાતાવરણ રહેતું હોય મોરબી અને માળીયા પંથકના ઓછા વરસાદ વાળા ગામો માટે સરકાર દ્વારા વાદળિયા વાતાવરણનો લાભ લઇ કુત્રિમ વરસાદ વરસાવવા તાકીદે કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેમ પણ અંતમાં જણાવ્યું છે

