ટંકારામાં ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા વૃદ્ધનું સારવારમાં મોત

ટંકારાની લક્ષ્મીનગર સોસાયટીમાં વૃદ્ધે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોય જેનુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ ટંકારાની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ જાદવજીભાઈ પટેલ (ઉ.૫૨) ગત તા.૨૫ ના રોજ પોતાના ઘરે ઘઉમાં નાખવાના ટીકડા પી જતા તેને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા દરમિયાન તા.૨૭ ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે તો ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat