

મોરબી જિલ્લા ભાજપના વિદાય લઈ રહેલા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને પ્રધાનમંત્રીની મન કી બાત નું પુસ્તક આપી આભાર અભિવાદન અને નવા વરાયેલા પ્રમુખ રણછોડભાઈ દલવાડીને આવકાર અભિનંદન અને શ્રીફળ , સાકરનોપડો,ગુલદસ્તો,શાલ, ધાર્મિક પુસ્તક ગીતાજી અને સુતરની માળાથી આવકાર આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ બળવતર બને અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી,ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાજી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલની સેવાહી સંગઠનની ભાવના સાર્થક કરવા ટીમ બીજેપી મોરબી વધુને વધુ કાર્યરત રહે અને કાર્યકરોનો જોમ જુસ્સો સંગઠન અને સરકારના કામોમાં વધુ દીપી ઊઠે તેવી સૌને પ્રેરણા મળતી રહે તેવી શુભકામનાઓ નવા પ્રમુખને પાઠવી છે,
સાથોસાથ મોરબી જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખો બીપીનભાઈ દવે, રાઘવજીભાઈ ગડારા અને દુર્લભજીભાઈ દેથરીયાએ સંગઠન માટે કંડારેલ કેડીએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર વધુ મજબૂત બને તેવા રાહબર બની રહેવા શુભેચ્છા પાઠવેલ છે.