


પશુઓને અવારનવાર વાહનમાં કતલ ખાને લઇ જવાની ફરિયાદો પશુ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે,એવામાં વાંકાનેરના પશુ પ્રેમી દીપકભાઈ દિલીપભાઈ ખાંડેખાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે કે રાત્રીના સમયે રધાભાઈ ધુળાભાઈ સિંધવ,મનુભાઈ ધુળાભાઈ સિંધવ અને રવિભાઈ રધુભાઇ સિંધવ રહે-રાનીપાટ જી.સુરેન્દ્રનગર વાળા બળદ નંગ-૪ કીમત ૧૨૦૦૦ ને દોરડા વતી બાંધી કતલ કરવાના ઈરાદે ચલાવી નીકળતા ફરિયાદ નોધવી છે.આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી રધાભાઈ ધુળાભાઈ સિંધવને ઝડપી પડ્યા હતા જ્યારે અન્ય આરોપીને પદ્કવા ચક્રોગતિમાન કર્યા છે.