


નવરંગ નેચર ક્લબ રાજકોટ અને મયુર નેચર ક્લબ મોરબી દ્વારા તા. 14 ને રવિવારના રોજ સવારે 9 થી 1 કલાકે સરદાર બાગ સામે શનાળા રોડ મોરબી ખાતે રાહતદરે આયુર્વેદિક ચીજવસ્તુઓ અને ફૂલછોડ રોપાનું વિતરણ કરવામાં આવશે
મોરબીમાં પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા રવિવારે લીંબુ, દાડમ, શીશમના રોપા તેમજ એલોવેરા, મધ કઠોળનું રાહત ડરથી વિતરણ કરવામાં આવશે તેમજ વિવિધ જાતના ફૂલછોડનું વિતરણ કરાશે જેનો નગરજનોએ લાભ લેવા સંસ્થાની યાદી જણાવે છે