મોરબી જલારામ પ્રાર્થના મંદિરના બાળ કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું

       આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સૌ કોઈ વૃક્ષારોપણ કરીને આ દિવસની ઉજવણી કરી હતી ત્યારે મોરબીના બાળ કાર્યકરોએ પણ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો    

      વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિરના બાળ કાર્યકરો દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભૂલકાઓએ વિશાલ ગણાત્રાની આગેવાનીમા નવલખી રોડ સ્થિત જલારામ પાર્ક ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતન તેમજ સંરક્ષણનો સંકલ્પ લીધો હતો. બાળવયે જ પર્યાવરણ પ્રેમ દર્શાવતા બાળકોએ સમાજને પ્રેરક સંદેશ પુરો પાડ્યો છે તેમ જલારામ પ્રાર્થના મંદિરના પ્રમુખ નીર્મીતભાઈ કક્કડે જણાવ્યું હતું  

Comments
Loading...
WhatsApp chat