મોરબી નજીક સિરામિકના લેબર ક્વાર્ટરમાં બાળકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી નજીક સિરામિકના લેબર કવાર્ટરમાં ૯ વર્ષના માસૂમ બાળકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલ મોરબીના પાવડીયારી કેનાલ પાસે એક્ષોલી સિરામિકના લેબર કવાર્ટરમાં રહીને મજુરી કરતા લુડુંગીબેન પાતોરભાઈ સાવૈયાએ જાહેર કર્યું હતું કે સીકુર સવૈયા નામનો તેના ૦૯ વર્ષના દીકરાએ લેબર કવાર્ટરમાં સિમેન્ટ બારીની ગ્રીલ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે

જે બનાવ મામલે તપાસ ચલાવતા મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઈ આર બી વ્યાસે જણાવ્યું હતું કે સીકુર નામના બાળકના પિતાએ બીજા લગ્ન કર્યા હોય અને આ બાળક આગલા ઘરનું હોય, તેમજ પિતા હાલ વતનમાં ગયા હોય અને સીકુર જીદ્દી હોય જેથી માતા લુડુંગીબેન સાવૈયા કારખાનામાં અમુક જગ્યાએ ના જવું અને નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવા જણાવ્યું હોય જેથી આપઘાત કરી લીધાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat